શુક્રવાર, 11 મે, 2012

વ્યગ્ર લાગણીઓ


વ્યગ્ર લાગણીઓ માત્ર આપણને પોતાને તો વ્યગ્ર બનાવતી નથી પણ સાથે સાથે તે બીજા ને પણ વ્યગ બનાવે છે. સ્વ-કેન્દ્રિત વૃતિ ભય અને અસુરક્ષિતતા ઊભી કરે છે, જે બદલામાં અધોગતિ પેદા કરે છે. આ માટે જ પરમાર્થી વલણ જીવન માં સુખ અને માનસિક શાંતિ લઈ ને આવે છે.

ગુરુવાર, 5 જાન્યુઆરી, 2012

વિશ્વાસ

જેમ ખાલી વિશ્વાસ પર્વતને ખસેડી શકે છે, તે ચોક્કસપણે લોકોના દિલ અને દિમાગમાં પરિવર્તન લાવી શકે છે. દરેકની અંદર રહેલ માનવતાને પાલનપોષણ આપો. 

કરુણા

કરુણા ખરેખર કંઈક મૂલ્યવાન છે. તે માત્ર એક ધાર્મિક અથવા આધ્યાત્મિક વિષય નથી, કે વિચારધારાની બાબત નથી. તે વૈભવનું સાધન નથી,  તે જરૂરી છે.

મંગળવાર, 3 જાન્યુઆરી, 2012

હુંફ અને લાગણી

હુંફ અને લાગણીઓ પ્રાપ્ત કરવા કરતાં વધુ મહત્વપૂર્ણ, હુંફ અને લાગણીઓ આપવી છે. તે હુંફ અને લાગણીઓ આપવી, બીજાની ફિકર માટે સાચી ભાવના હોવી, બીજા શબ્દોમાં કહીએ તો કરુણા દ્વારા આપણે જે પરિસ્થિતિઓમાં વાસ્તવિક સુખ મેળવીએ છીએ. માટે, પ્રેમ મેળવવા કરતાં પ્રેમ આપવો વધુ મહત્વનો છે. 

શનિવાર, 31 ડિસેમ્બર, 2011

દલાઇ લામા ના વિચાર નો ગુજરાતી ભાવાનુવાદ


એક વધુને વધુ પરસ્પરાવલંબી વિશ્વમાં આપણા પોતાના કલ્યાણ અને સુખ અન્ય ઘણા લોકો પર આધાર રાખે છે. અન્ય મનુષ્યો ને તેટલો સુખ અને શાંતિ નો અધિકાર છે જેટલો આપણો પોતાનો છે; તેથી તમારી જવાબદારી છે કે જરૂરતમંદને મદદ કરો. આપણા વિશ્વની ઘણી બધી સમસ્યાઓ અને તકરારો આપણે મૂળભૂત માનવતા પ્રત્યે દૃષ્ટિ ગુમાવી બેઠા છીએ તેના કારણે ઉદ્દભવે છે. માનવતા પ્રત્યેની મૂળભૂત દ્રષ્ટિ આપણને વસુદેવ કુટુંબકમ ની ભાવનમાં બાંધી રાખે છે.

ગુરુવાર, 15 ડિસેમ્બર, 2011

દિવસ ને ત્રણ કાર્યભાગમાં વહેંચી ને તનાવ ઘટાડો



લોકો આખો દિવસ એક મુદ્દા વિષે વિચારીને કે નાહકની ઉતાવળમાં તનાવ પેદા કરે છે. જેમકે ધણી વખત લોકો ઓફીસમાં સમયસર પહોચવાની ચિંતા માં રોજે ઓફિસે મોડા પડતા હોય છે. જો તમે તનાવ ઘટાડી ને લક્ષ્ય ને સિદ્ધ કરવા માંગતા હોય તો આ ચક્ર ને તોડવાની જરૂર છે. આ લક્ષ્ય પૂર્ણ કરવા માટે તમારા દિવસ ને ત્રણ ભાગ માં વહેચો.
૧. વિચાર
૨. કાર્ય અમલ
૩. આરામ
 
દિવસનો એક ભાગ વિચારવા માટે ફાળવો. આ સમય દરમ્યાન કામ વિષે વિચારો, કામ કેવી રીતે પૂરું કરશો તેના વિષે મનોમંથન કરો. જરૂર લાગે તો આ વિચારો ની નોંધ કરી લો. દિવસ ના બીજા ભાગ માં વિચારો ને કાર્ય દ્વારા અમલ માં મુકો. આ સમય દરમ્યાન વધારે પડતું વિશ્લેષણ કરવાનું ટાળો.    
 
એક વખત તમે કામ ને વિચારો ને અગલ કરવામાં સફળ થશો એટલે આપોઆપ તમને આરામ માટે સમય ફાળવી શકશો. જેમકે બાળકો અને પત્ની સાથે બેસી ને ટીવી જોવો, કસરત કરો કે મિત્રો સાથે બેસી ને ગપ્પા મારો.
 
જો તમે એક સપ્તાહ કે તેથી વધુ સમય આ કાર્યશૈલી અમલ માં મૂકી ને કામ કરશો તો અનુભવશો કે તમે પહેલા કરતા વધુ કાર્યક્ષમ બન્યા છો તથા તનાવ પણ ઘટી ગયો છે. કારણ કે તમારા વિચારો તમારા કામ માં અને આરામ ના સમયમાં ઘુસણખોરી નથી કરતા.

રવિવાર, 14 ઑગસ્ટ, 2011

ગાયત્રી મહિમા



વેદમાતા ગાયત્રીની સાધનાને ઉપાસનામાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવેલ છે. ગાયત્રીની દેવીના રૂપમાં પણ પૂજા થાય છે. ગાયત્રીથી જ તમામ વેદોની ઉત્પત્તિ થઈ હોવાનું મનાય છે તેથી તેને વેદમાતા પણ કહે છે. બ્રહ્માના તપથી ગાયત્રી અને સાવિત્રી પ્રકટયાં અને વળી બંનેને બ્રહ્માની પત્નીઓ માનવામાં આવી છે.

ત્રણ સ્વરૂપ

દેવી ભાગવતમાં ગાયત્રીની ત્રણ શકિતઓને બ્રાહ્મી(બ્રાહ્મણી) વૈષ્ણવી અને શાંભવી (રુદ્રાણી) સ્વરૂપમાં દર્શાવવામાં આવી છે. સવારના સમયે કુમારી (બ્રાહ્મી) સ્વરૂપે હોય છે. એમાં ગાયત્રીનું વાહન હંસ હોય છે. અને પાંચમુખ તેમજ બે હાથ હોય છે. બપોરના સમયે યુવતી (વૈષ્ણવી)નું સ્વરૂપ માનવામાં આવ્યું છે. આ રૂપમાં તેઓ ગરુડ પર બેઠાં હોય છે. ત્યારે તેમને એક મોં અને ચાર હાથ હોય છે. સંઘ્યા સમયે પ્રૌઢાના સ્વરૂપમાં (રુદ્રાણી) હોય છે. ત્યારે તેઓનું વાહન બળદ હોય છે. એ વખતે તેમને એક મોં અને ચાર હાથ હોય છે.

ગાયત્રી મંત્ર

બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર દ્વારા રચાયેલા ગાયત્રી મંત્રનો ઉલ્લેખ યજુર્વેદનાં છત્રીસમાં અધ્યાયમાં જોવા મળે છે.
ॐ भूर्भुवः स्वः ।
तत् सवितुर्वरेण्यं ।
भर्गो देवस्य धीमहि ।
धियो यो नः प्रचोदयात् ॥
ગાયત્રી મંત્રના ૨૪ અક્ષરોના તત્ત્વ ક્રમાનુસાર પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, ગંધ, રસ, રૂપ, સ્પર્શ, શબ્દ, વાકય, પગ, મળ, મૂત્રેન્દ્રિય, ત્વચા, આંખ, કાન, જીભ, નાક, મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત અને જ્ઞાન છે.

અર્થ

ૐ ભૂર્ભુવ: સ્વઃ તત્ સવિતુર્વરેણ્યમ્ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્|

ૐ - સમસ્ત જીવોને તેમના આત્મા દ્વારા પ્રેરણા આપનાર પરમાત્મા, ઈશ્વર
ભૂ: - પદાર્થ અને ઊર્જા
ભુવ: - અંતરિક્ષ
સ્વ: - આત્મા

ૐ ભૂર્ભુવ: સ્વઃ - પદાર્થ, ઊર્જા, અન્તરિક્ષ અને આત્મા માં વિચરણ કરવા વાળા શુદ્ધસ્વરૂપ અને પવિત્ર કરવા વાળા ચેતન બ્રહ્મ સ્વરૂપ ઈશ્વર

તત્ – તે, તેઓ
સવિતુ: - સૂર્ય, પ્રેરક
વરેણ્યં - પૂજ્ય
ભર્ગ: - શુદ્ધ સ્વરૂપ
દેવસ્ય - દેવતા નાં, દેવતા ને

તત્ સવિતુર્વરેણ્યમ્ ભર્ગો દેવસ્ય - તે પ્રેરક, પૂજ્ય, શુદ્ધ સ્વરૂપ દેવતા ને

ધીમહિ - અમારૂં મન અથવા અમારી બુદ્ધિ ધારણ કરે, અમે તેમનું મનન, ધ્યાન કરીએ

ધિય: - બુદ્ધિ, સમજ
ય: - તે (ઈશ્વર)
ન: - અમારી
પ્રચોદયાત્ – સારાં કામોમાં પ્રવૃત કરે

ધિયો યો નઃ પ્રચોદયાત્ – તે અમારી બુદ્ધિને સારાં કામોમાં પ્રવૃત કરે

સંપૂર્ણ અર્થ – પદાર્થ, ઊર્જા, અન્તરિક્ષ અને આત્મા માં વિચરણ કરવા વાળા તે પ્રેરક, પૂજ્ય, શુદ્ધ સ્વરૂપ દેવતા નું અમે ધ્યાન કરીયએ અને તે અમારી બુદ્ધિને સારાં કામોમાં પ્રવૃત કરે.